logo

હૈયાને દરબાર (Ghazal Sangrah)

હૈયાને દરબાર

નરસિંહનાં પ્રભાતિયાંથી લઈને મીરાંનાં ભજનો સુધી, મેઘાણીનાં શૌર્યગીતોથી લઈને પાનબાઈનાં ભક્તિગીતો સુધી, કૃષ્ણગીતો હોય કે વર્ષાગીતો, ગઝલ, નજમ કે ફિલ્મીગીતો, રાસગરબા કે લગ્નગીતો ગુજરાતી ગીત-સંગીતનું ફલક અસંખ્ય સુમધુર ગીતોના મેઘધનુષી રંગોથી હર્યુંભર્યું છે. આદિકવિ નરસૈંયાથી લઈને કવિ રમેશ પારેખ સુધીના કવિઓએ પોતાની કલમની શાહીથી આ ગીતોને સીંચ્યાં છે. અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાયથી લઈને આશિત દેસાઈ, શ્યામલ-સૌમિલ સુધીનાં સંગીતકારોએ આ ગીતોમાં સૂરોના પ્રાણ પૂર્યા છે. અને એટલે જ સંગીતના કાર્યક્રમથી લઈને લગ્નની સંગીતસંધ્યા સુધી, ગરબાથી લઈને પ્રાર્થનાસભાઓમાં આ ગીતો પેઢી દર પેઢી ગવાતાં આવ્યાં છે અને લોકમુખે જીવતાં રહ્યાં છે. ગુજરાતી ભાષાનાં આવાં જ સવાસોથી વધુ સદાબહાર ગીતોનો આસ્વાદ કરાવે છે ગીત-સંગીતનાં મર્મી નંદિની ત્રિવેદી પોતાના નવા પુસ્તક ‘હૈયાને દરબાર’માં. સામાજિક રિવાજોમાં રહેલા માનવસંવેદનોને વાચા આપતી આ હૃદયસ્પર્શી રચનાઓનાં સર્જનની રસપ્રદ વાતો, તેના સર્જકોની મુલાકાતો, નિષ્ણાતોના અભિપ્રાયો અને સંવાદો દ્વારા ગુજરાતી ગીતસંગીતની પ્રાચીનથી લઈને અર્વાચીન યાત્રાનો આસ્વાદ કરાવતું આ પુસ્તક દરેક ગુજરાતી માટે એક ઐતિહાસિક દસ્તાવેજ સાબિત થશે.

₹775.00

  • Pages: 488 pages
  • Language: Gujarati
  • Binding: Hardback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: N/A
  • Weight: N/A
scroll-top